Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ સુનાવણીએ સૂત્રોચ્ચારઃ ધરપકડ
નવી દિલ્હી તા. ૬: દેશના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ તરફ ચાલુ સુનાવણીએ જુતુ ફેંકવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે, જો કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે શાંતચિત્તે સુનાવણી ચાલુ રાખી હતી. જુતુ ફેંકનાર વકીલે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. પોલીસે તેની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
દેશની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ પર આજે શર્મજનક હુમલો થયો છે. સુપ્રિમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજેઆઈ પર એક વકીલે જુતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જુતુ ફેંકનારો શખસ ૬૦ વર્ષિય વકીલ હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વકીલની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો કે, આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈએ નિવેદન આપ્યું છે કે મને આ પ્રકારના કૃત્યોથી કોઈ ફરક પડતો નથી.
મોડેથી મળતા અહેવાલો મુજબ એક શખ્સે ચીફ જસ્ટિસ બીઆર ગગઈ પર નિશાન સાધતા બેન્ચ તરફ જુતુ ફેંક્યું હતું, જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુક્સાન થયું નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના પછી પણ શાંત જ હતાં અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, હું એવો યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે. ત્યારપછી તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતાં.
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો કે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial