Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનિલ શર્માએ હાથઉછીની રકમ મેળવી આપ્યા હતા ચેકઃ
જામનગર તા. ૨૪: જામનગરના જાણીતા ઉદ્યોગપતિએ હિન્દી ફિલ્મજગતના વધુ એક ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે રૂ।.૧૦ લાખના ત્રણ ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. હિન્દી ફિલ્મજગતને ગદ્દર તેમજ હકુમત જેવી સુપરહીટ ફિલ્મ આપનાર ડાયરેક્ટરને હાજર થવા હુકમ કરાયો છે.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી કેટલાક વખત પહેલાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કહી શકાય તેવા પ્રોડ્યુશન, ડાયરેક્ટર અને લેખક અનિલ શર્માએ રૂ।.૩૦ લાખ હાથઉછીના મેળવ્યા હતા.
હિન્દી ફિલ્મજગતને ગદ્દર તેમજ હકુમત જેવી સુપરહીટ ફિલ્મ અર્પણ કરનાર અનિલ શર્માએ તે રકમ પરત ચૂકવવા માટે અશોકભાઈ લાલને રૂ।.૧૦-૧૦ લાખના ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા ત્રણેય ચેક પરત ફર્યા હતા.
પોતાની લેણી રકમ વસૂલવા માટે અશોકભાઈએ વખતોવખત કરેલી ઉઘરાણી પછી પણ બાકી રકમ ચૂકવવામાં ન આવતા આખરે અશોકભાઈએ જામનગરની અદાલતમાં એડવોકેટ પિયુષ ભોજાણી મારફત નેગોશીયેબલ ઈન્સ્ટ્ર. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અન્વયે આરોપીને હાજર થવા હુકમ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દી ફિલ્મજગતના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સામે અશોકભાઈ લાલે ચેક પરતની કરેલી દસ ફરિયાદ પછી બીજા ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે ચેક પરતની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial