Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહીઃ
ખંભાળિયા તા. ૨૪: દ્વારકામાં દ્વારકાધિશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. શ્રી દ્વારકાધિશ મંદિર, દ્વારકાની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા દર્શનાર્થે આવનાર યાત્રિકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની અને સ્નાન કરતી મહિલાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવાની શક્યતાને કારણે ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ મૂકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં આવેલ શ્રી દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદી પર સંગમ નારાયણ મંદિરથી જુના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કીર્તિસ્તંભથી દ્વારકાધિશ મંદિર પાર્કિંગ સુધી તથા ગોમતી નદીની સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચ નંદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી ૧૦૦ મીટર ત્રિજ્યાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ/હોળી તથા પગડીયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ જાહેરનામું તા.૨૫/૧/૨૦૨૬થી તા.૨૫/૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial