ચિરવિદાય

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ મીનાક્ષીબેન (મીનાબેન) શુકલ (ઉ.વ.૬૫) તે પંકજભાઈ શુકલ (પૂર્વ સંગીતાચાર્ય, સરસ્વતી શિશુ મંદિર)ના પત્ની, આલાપ અને શ્યામના મમ્મી, હિરલના સાસુ તથા મલ્હારના દાદીનું તા. ૧૬-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૮-૭-૨૫ને શુક્રવારે સાંજે ૬ થી ૬ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ ના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગરમાં રાખવામાંં આવી છે.

જામનગરઃ ચંદ્રશેખર નવનીતરાય મારૂ (કલેકટરના નિવૃત્ત પી.એ.) (ઉ.વ.૮૪) તે રોહિણી મારૂ (નિવૃત્ત મામલતદાર)ના પતિ, દ્રીપ મારૂના પિતાનું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી.

જામનગરઃ કંડોરીયા બ્રાહ્મણ સંદીપભાઈ અધ્યારૂ (ટેકસ કન્સલ્ટન્ટ) (ઉ.વ.૫૭) તે સ્વ. પ્રદ્યુમનભાઈ છગનલાલ અધ્યારૂ, સ્વ. પુષ્પાબેન અધ્યારૂના પુત્ર, ગાયત્રીબેનના પતિ, કૃપા, ઓમના પિતા, ફાલ્ગુન દવે (સુરત) ના સસરા, સ્વ. પ્રમોદીનીબેન વિનોદરાય વ્યાસ, મીનાબેન સનતકુમાર વ્યાસ, જાગૃતિબેન કિરીટકુમાર પંડ્યા, ભારતીબેન અતુલકુમાર પાઠક (કલાબેન), સ્વ. તૃપ્તિબેન ઉરેશકુમાર પંડયા (તપુબેન)ના ભાઈ, સ્વ. હરિલાલ રેવાશંકર ભટ્ટના જમાઈ, બીપીનભાઈ, ભાવેશભાઈ ભટ્ટ, નયનાબને, પ્રીતિબેન રેખાબેનના બનેવી તેમજ હિતેષકુમાર કરંગીયા, શૈલેષકુમાર મહેતા અને શૈલેષકુમાર પંડયાના સાઢુભાઈ તા. ૧૪ ના કૈલાશવાસ થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૭ ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન શ્લોક એપાર્ટમેન્ટ, પુરોહિત સ્કૂલની સામે, પ્રગતિપાર્ક, મેહુલનગર ૮૦ ફૂટ રોડ, જામનગરમાં રાખેલ છે.

કાલાવડ નિવાસી અર્ચનાબેન આશીષગીરી, તે રોહિતપુરી ભગવાનપુરી (બટુકપુરી ભગવાનપુરી)ના પુત્રી, રમેશપુરી, અજયપુરી, મુકેશપુરી ના ભત્રીજી, સાગરપુરી, મયુરીબેનના બહેનનું તા. ૧૪ ના અવસાન થયું છે. સદ્ગતનું પિયર પક્ષનું ઉઠમણું તા. ૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ જયશ્રીબેન રાજેશભાઈ ઓઝા (ઉ.વ.૬૧) તે રાજેશ કીર્તિકુમાર ઓઝાના પત્ની, પ્રિયંકા ચિરાગભાઈ જોષી, કેવીનભાઈના માતા, સ્વ. કીર્તિકુમાર ઓઝાના પુત્રવધૂ, શૈલેષભાઈ ઓઝા, પ્રીતિબેન બિપિનભાઈ ત્રિવેદી, મનીષાબેન કુલદીપભાઈ ત્રિવેદીના ભાભી, ચંદ્રકાન્તભાઈ નર્મદાશંકર ત્રિવેદી (ભાવનગર) ના પુત્રી, વિજયભાઈ, કેતનભાઈના બહેન, ચિરાગભાઈ જોશીના સાસુનું તા. ૧૪ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭, ગુરૂવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલકોલોની શેરી નં.૫/૬ જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી વિશા ઓશવાલ જૈન જ્ઞાતિના ઈશ્વરલાલ મનસુખલાલ શાહ (ઉ.વ.૮૫) તે સ્વ. મનસુખલાલ હંસરાજ શાહના પુત્ર તથા ચંદ્રપ્રભાબેનના પતિ, નિતીનના પિતા તા. ૧૩ ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સેવંતીલાલ, મહેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ તથા બિપીનભાઈ, પારેખ વેણીલાલ કચરાભાઈના જમાઈ થાય. સદ્ગતનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બેડ નિવાસી હરીશભાઈ ગીરજાશંકર શુકલ, તે જગદીશચંદ્ર ગીરજાશંકરના નાનાભાઈ, રવિભાઈના પિતાનું તા. ૧૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન બેડેશ્વર મહાદેવ મંદિર, બેડમાં રાખેલ છે.

જામનગરઃ સંજયભાઈ જેન્તીલાલ વ્યાસ, તે હીના રાજન રાચ્છ, સન્ની સંજયભાઈ વ્યાસના પિતાનું તા. ૧પ-૭-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૭-૭-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી ૬ વાગ્યે માધવ બાગ-૧, શેરી નં. ૬, માધેશ્વર મહાદેવ મંદિર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh