Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ઔદિચ્ય બ્રાહ્મણ પરમેન્દ્ર ત્રિવેદી (ઉ.વ.૩૯) તે હરેન્દ્રભાઈ તથા ભાવનાબેનના પુત્રનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૬-૩ને સોમવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન તેમના નિવાસ સ્થાન શિવશક્તિ એપાર્ટમેન્ટ, શેઠ ભગવાનદાસ રોડ, ન્યૂ સ્કૂલ પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ભરતભાઈ બકરાણીયા (ઉ.વ.૭૩) (જોલી એન્જિનિયરીંગવાળા) તે સ્વ. હીરજીભાઈ વશરામભાઈ બકરાણીયાના પુત્ર, હિનાબેન (હર્ષિદાબેન)ના પતિ, સ્વ. મનસુખભાઈના ભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. ત્રિભોવનભાઈના ભત્રીજા, વિપુલભાઈ દયાળજીભાઈ સીનરોજા(રાજકોટ)ના બનેવીનું તા. ૧૪-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૧૬ના સાંજે ૫ થી ૬ દરમ્યાન બેન્કવેટ હોલ, ઓશવાળ સંકુલ, સાત રસ્તા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ (મૂળ હળબટયાડી) ચા.મ.મોેઢ બ્રાહ્મણ જયેશભાઈ દવે (ઉ.વ.૪૩) તે સ્વ. દિનેશભાઈ પ્રભાશંકર દવે, સ્વ. નિરંજનાબેન દવેના પુત્ર, જીજ્ઞાસાબેનના પતિ, ધૈર્યભાઈના પિતા, ધર્મિષ્ઠાબેન નરેશભાઈ પંડયા (રાજકોટ), જીજ્ઞેશભાઈના ભાઈ,સ્વ. મહેન્દ્રભાઈ ભીખાલાલ પંડયાના જમાઈ, અક્ષય મહેન્દ્રભાઈ પંડયાના બનેવીનું તા. ૧૪-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૩ને સોમવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ અરવિંદભાઈ રણછોડદાસ ધોરીયા (ઉ.વ.૭૬)નું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ના સોમવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન કડિયા જ્ઞાતિની વાડી, ગઢની રાંગ, ત્રણ દરવાજા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
રાજકોટઃ (મૂળ ખંભાળીયા) રૂપેશભાઈ હેમતલાલ દત્તાણી (ઉ.વ.૫૧) તે સ્વ હેમતલાલ રૂગનાથ દત્તાણી (ખંભાળીયા)ના પુત્ર, સ્વ. તુલસીદાસ કે. બદીયાણી (ખંભાળીયા)ના જમાઈ, નિશાબેનના પતિ, નિરાલી, હર્ષિલના પિતા, બીનાબેન પરેશકુમાર ગણાત્રા, હીનાબેન જગદીશકુમાર દાવડા (જામનગર), નીલાબેન ઓજસકુમાર ઠકરાર (રાજકોટ), મનોજભાઈના ભાઈ, સ્વ. તુલસીદાસ રામજી જટણીયા (ઓખા)ના ભાણેજનું તા. ૧૫-૩ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧૭-૩ના સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાન ફલેટ નંં. ૯૦૩, શિલ્પન આનિક્સ, રૈયા ગામ, રાજકોટથી નીકળશે.
અમેરિકા નિવાસી (મૂળ જામનગર) હરેનભાઈ (હરૂભાઈ) ત્રિવેદી (ગુજ.ઈન્ડ.કો.ઓપ.બેંક) (ઉ.વ.૭૬) તે સ્વ. જયંતિલાલ રવિશંકર ત્રિવેદીના પુત્ર, હેમાબેનના પતિ, વિપુલભાઈ, ભાવિકાબેનના પિતા, સ્વ. ધીરેનભાઈ (એસ.બી.આઈ.), જયેશભાઈ (જી.જી. હોસ્પિટલ), ગીતાબેન દવે (આર્યસમાજ હાઈસ્કૂલ)ના ભાઈ, સ્વ. બીપીનભાઈ, સ્વ. ગુણવંતભાઈ દયાશંકર ત્રિવેદીના જમાઈનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૧૬ને સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન મોઢ બ્રાહ્મણની વાડી, જાની કોમ્યુનિટી હોલ, સરકારી કર્મચારી સોસાયટી, ચંદનપાર્ક મેઈન રોડ, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ કિશોરચંદ્ર ગિરધરલાલ મજીઠીયા (ઉ.વ.૬૭) તે ભાવિનભાઈ, કૌશિકભાઈના પિતા, બીનાબેન, ઈશીતાબેનના સસરા, ધવિતના દાદા, રમેશભાઈ મજીઠીયાના ભાઈ, કાંતિભાઈ ગીરધરલાલ તન્નાના જમાઈનું તા. ૧૩-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું (સાદડી) તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી શૈલેષકુમાર રમણીકલાલ શુકલ (હર્ષદ એન્જિનિયરીંગ વાળા)(ઉ.વ.૭૦) તે કલ્પનાબેનના પતિ, સ્વ. પ્રતિક, મિથુનના પિતા, હેતલ પ્રતિક શુકલ, મૃગા મિથુન શુકલના સસરા, વંશિકા પ્રતિક શુક્લ, ધ્યાન મિથુન શુકલ, હૃદા પ્રતિક શુકલના દાદા, ડો. ભૂપેન્દ્ર શુકલ, સ્વ. હર્ષદરાય શુકલ, જગદીશભાઈ શુકલ, મનોજ શુકલ, પ્રદીપ શુકલના ભાઈનું તા. ૧૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.