Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલી સવારે નોકરીએ જતાં બે ભાઈને અકસ્માતઃ
જામનગર તા. ૧૧: કલ્યાણપુરના નાવદ્રા પાટીયા પાસે ગયા ગુરૂવારે સવારે એક મોટરના ચાલકે બ્રેક મારી અચાનક વળાંક વાળતા તેની પાછળ આવતું બાઈક ટકરાઈ પડ્યંુ હતું. બાઈક પર જઈ રહેલા જોધપુર-ઉપાધ્યાય ગામના બે ભાઈઓ ઘવાયા પછી મોટાભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામમાં રહેતા અનિલભાઈ શામજીભાઈ સોનગરા અને તેમના મોટાભાઈ રોહિતભાઈ શામજીભાઈ સોનગરા (ઉ.વ.૩૦) ગઈ તા.૪ની સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી જીજે-૧૦-કે ૪૬૬૩ નંબરના મોટરસાયકલમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા.
આ બંને ભાઈઓ જ્યારે નાવદ્રા ગામના પાટીયા નજીક એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-એપી ૨૧૨૯ નંબરની અલ્ટો મોટરના ચાલકે અચાનક જ બ્રેક મારી વળાંક વાળી લેતા પાછળ આવી રહેલુ અનિલભાઈ તથા રોહિતભાઈનું બાઈક મોટર સાથે ટકરાઈ પડ્યું હતું.
બાઈક ટકરાતા જ રોડ પર ફંગોળાયેલા બંને ભાઈઓ પૈકીના રોહિતભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અનિલભાઈ પણ ઘવાયા હતા. બંને બંધુઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી રોહિતભાઈનું મૃત્યુ નિપજ્યું છે. અનિલભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસ મથકમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial