Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુબેરવિસોત્રીમાં મહિલાનું વિષપાન પછી મૃત્યુઃ
જામનગર તા. ૧૪: જામનગર નજીકના અલીયા ગામમાં વસવાટ કરતા એક યુવાને મગજની બીમારીથી કંટાળી જઈને સોમવારે ગળાફાંસો ખાઈ લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના કુબેરવિસોત્રી ગામમાં એક પ્રૌઢાએ અગમ્ય કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
જામનગર તાલુકાના અલીયા ગામમાં મહેશ્વરી ચોકમાં રહેતા કશ્યપભાઈ પાલજીભાઈ પરમાર નામના અઠ્ઠયાવીસ વર્ષના યુવાને ગયા સોમવારે સાંજે પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં કશ્યપભાઈને નીચે ઉતારી સારવાર માટે ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝન ટીમ દોડી ગઈ હતી. પોલીસે મૃતકના મોટાભાઈ મહેશભાઈ પરમારનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ આ યુવાન કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેની દવા ચાલુ હતી. તે દરમિયાન માઠું લાગી આવતા કશ્યપભાઈએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામની સીમમાં રહેતા મૂળ કુવાડીયા ગામના વતની અતીબેન કેશુભાઈ ચાવડા નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢાએ કોઈ અકળ કારણથી રવિવારે ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. તેણીના પતિ કેશુભાઈ રાણાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial