Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત ડેમોમાંથી પાટિયા ખોલીને પાણી છોડાયું
જામનગર તા.૨૫; જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મધ્યમથી હળવો વરસાદ પડી રહૃાો છે, અને સર્વત્ર વરસાદી માહોલ બંધાયેલો છે, ત્યારે જામનગર જિલ્લાના ૨૫ જળાશયો કે જેમાં નવા નીર આવી રહૃાા છે, જે પૈકી હાલ ૧૦ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે સાત ડેમો કે જે ગેટ વાળા હોવાથી તેના પાટિયા ખોલીને તેમાંથી પાણી છોડવામાં આવી રહૃાું છે. જામનગર જિલ્લાનો ફુલઝર ડેમ, રૂપારેલ ડેમ, કંકાવટી, રંગમતી, રણજીત સાગર, વાગડિયા, અને રસોઈ -૨ સહિતના ૧૦ ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે.
જ્યારે ૭ ડેમ ના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહૃાું છે. જેમાં ઊંડ-૧ ડેમ, ઉમિયા સાગર, કંકાવટી, રંગમતી, ફુલઝર કોટડા-બાવીસી અને આજી-૪ ડેમ કે જેમાં ગેઇટ લગાવેલા હોવાથી તેમાં ડેમનું લેવલ જાળવવાના ભાગરૂપે પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહૃાું છે. બાકીના અન્ય જળાશયોમાં પણ ધીમીધારે નવા નીર આવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial