Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોન લેનાર આસામીનું થયું હતું નિધનઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ ફ્લેટ ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધા પછી તેઓએ આપેલો ચેક પરત ફર્યાે હતો. બેંકે આ આસામી તથા ગેરેન્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. કેસ ચાલી જાય તે પહેલા લોન લેનાર આસામીનું અવસાન થયું હતું. અદાલતે ગેરેન્ટરને એક વર્ષની કેદ ફટકારી છે.
જામનગરના ગોકુલનગર સર્કલ પાસે આવેલા મુરલીધર કોમ્પલેક્ષના ફલેટ નં.૨૦૯ ખરીદવા માટે બળવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડે વર્ષ ૨૦૧૮માં હોમલોન મેળવી હતી. તેની પરત ચૂકવણી માટે રૂ.૧૭,૬૮,૭૧૫નો ચેક અપાયો હતો અને ગેરેન્ટર તરીકે ગાંધીનગરમાં રહેતા કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ રહ્યા હતા.
તે ચેક પરત ફર્યાે હતો તેથી અદાલતમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જાય તે દરમિયાન લોન લેનાર બળવંતસિંહનું અવસાન થયું હતું. આ કેસ ગેરેન્ટર કિશોરસિંહ રાઠોડ સામે ચાલી ગયો હતો. અદાલતે આ આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલી જતાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી સેશન્સ કોર્ટે આરોપીને સાત દિવસમાં હાજર થઈ જવા હુકમ થયો છે. બેંક તરફથી વકીલ ગૌરવ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial