Advertisement
Author: નોબત સમાચાર

વજીર ખાખરિયામાં વૃદ્ધને હૃદયરોગનો હુમલો

રસોઈ કરતી વેળાએ દાઝી જતાં વૃદ્ધાનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કાલાવડના વજીર ખાખરીયા ગામના વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે કાલાવડના ચાપરા ગામના એક વૃદ્ધા રસોઈ કરતી વેળાએ દાઝી ગયા પછી મોતને શરણ થયા છે.

કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા કરસનભાઈ કેશુભાઈ શિંગાળા નામના ૬૫ વર્ષના વૃદ્ધ રવિવારે સવારે પોણા સાતેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તથા ચક્કર આવી જતા ઢળી પડ્યા હતા.

આ વૃદ્ધને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના રાજકોટમાં રહેતા પુત્ર પિન્ટુભાઈ શિંગાળાએ પોલીસને વાકેફ કરી છે.

કાલાવડ તાલુકાના ચાપરા ગામના રહેવાસી જયાબેન નરશીભાઈ બાબરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા ગઈ તા.૮ની સાંજે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરે રસોડામાં રસોઈ કરવા માટે ગયા ત્યારે તેઓએ ગેસ ચાલુ કરવા માટે લાઇટર પેટાવ્યું હતું. આ વેળાએ ભડકો થતા જયાબેન મ્હોં, પગ તથા હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા.  સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્ર નિલેશભાઈ નરશીભાઈ બાબરીયાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh