Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાની એસ્ટેટ શાખાની કામગીરીઃ
જામનગર તા. ૩: જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા સતત દોડી રહી છે. ગઈકાલે શહેરના થાંભલાઓમાં ગેરકાયદે લટકાવાયેલા આશરે ૧૦૦ જેટલા જાહેરાતના હોર્ડીંગ્સ ૮ બોર્ડ ઉતારી લીધા હતાં અને કબજે કર્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં સતત દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ગઈકાલે અલગ-અલગ ત્રણ ટીમો દ્વારા પવનચક્કી, સાધના કોલોની માર્ગથી વીજ પોલમાં ગેરકાયદે લટકાવાયેલા જાહેરાતના પાટિયા ઉતરાવી લીધા હતાં. આશરે ૧૦૦ જેટલા જાહેરાતના બોર્ડને કબજે કરવામાં આવ્યા છે.
ઉપરાંત શહેરના તળાવની પાળ, શ્યામજી કૃષ્મણવર્માની પ્રતિમા પાસે ધંધાર્થીઓ દ્વારા કરાયેલ દબાણ દૂર કરી કેટલોક માલસામાન પણ જપ્તિમાં લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial