Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના જામપરમાં સોનમતી ડેમમાંથી શ્રમિકનો મળ્યો મૃતદેહઃ હત્યાની આશંકા

કોઈ શખ્સોએ હાથ-પગ બાંધી ડેમમાં ફેંકી દીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભાણવડના જામપર ગામ પાસે સોનમતી ડેમમાંથી શુક્રવારે એક પરપ્રાંતીયનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂ કરેલી તપાસમાં યુવાનને કોઈ શખ્સોએ હાથ-પગ બાંધી ડેમમાં ફેંકી દઈ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના જામપર ગામમાં આવેલા સોનમતી ડેમમાંથી શનિવારે એક શ્રમિકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. તેની કોઈએ પોલીસને જાણ કરતા ભાણવડ પોલીસનો કાફલો ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી નીહાળતા તેના હાથ-પગ દોરી વડે બાંધેલા જોવા મળ્યા હતા. ત્યારપછી પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના વતની અને ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા કૈલાસ દલુભાઈ બરડે (ઉ.વ.૪૧) લાપત્તા હોવાનું જણાઈ આવ્યું હતું.

આ યુવાન અંગે ઓળખ કરાવાતા મૃતદેહ કૈલાસ દલુભાઈનો હોવાનું ખૂલ્યું હતું. ત્યાં દોડી આવેલા તેમના પત્ની સુનિતાબેને પતિના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. આ મહિલાએ પોતાના પતિના હાથ-પગ બાંધી કોઈ શખ્સોએ તેઓને સોનમતી ડેમમાં ફેંકી દઈ તેમની હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh