Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સેન્ટ ઝેવિયર્સ શાળાને રૂપિયા દસ હજારનો દંડ ફટકારતા ડીઈઓ

બાળકને એલસી પધરાવનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની મિશનરી શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવતા હોવાનું જગજાહેર છે, ત્યારે એક બાળકનું એલસી તેના વાલીને પધરાવી દેવાના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ ખાનગી શાળાને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

જામનગરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં યુકેજીમાં અભ્યાસ કરતા એક બાળકના વાલી શબનમબેન અને શાળામાં શિક્ષક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી સેન્ટ ઝેવિયર્સ શાળાના આચાર્ય દ્વારા આ બાળકને શાળા છોડવાનું (એલસી) પ્રમાણપત્ર તેના વાલીને પકડાવી દીધું હતું. આખરે મામલો જામનગર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો જ્યાં બન્ને પક્ષની દલીલો તેમણે સાંભળી હતી અને આ બાબતમાં શિક્ષણના કાયદાનો ભંગ થાય છે તેમ જણાતા શાળાના સંચાલકને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો નિર્ણય જાહેર કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh