Advertisement
Author: નોબત સમાચાર

આર.કે. બંદરમાં મોડીરાત્રે લઘુશંકા કરવા ઉઠેલા બે માછીમાર દરિયામાં ડૂબી ગયા

ખંભાળિયામાં વૃદ્ધને હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ખંભાળિયાના શક્તિનગરમાં એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે મંગળવારે રાત્રે ઓખામાં સુઈ ગયા પછી મોડીરાત્રે લઘુશંકા કરવા ઉઠેલા બે માછીમાર કોઈ રીતે દરિયામાં પડી ગયા પછી ડૂબી જઈ મોતને શરણ થયા છે.

ખંભાળિયાના શક્તિનગરમાં વસવાટ કરતા પ્રવીણસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે દલુભાઈ લુણાના મકાનમાં હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા તેમના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના સાહુ ગામના ઈશ્વરભાઈ સોમાભાઈ હડપતી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ મંગળવારે રાત્રે દસેક વાગ્યે જમ્યા પછી ત્ર્યંબકેશ્વર નામની બોટમાં સૂવા માટે ગયા પછી રાત્રે એકાદ વાગ્યા પછી લઘુશંકા માટે ઉઠ્યા હતા. તે પછી આ વૃદ્ધ કોઈ રીતે દરિયામાં પડી જતા ડૂબી જઈ મૃત્યુ પામ્યા છે.

નવસારી શહેરમાં રહેતા અને હાલમાં આર.કે. બંદર પર હરીહરન નામની બોટમાં માછીમારી કરતા વીનોદભાઈ બંદુભાઈ પોલ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ પણ મંગળવારે રાત્રે જમ્યા પછી બોટમાં સૂતા હતા અને સવારે ચારેક વાગ્યે લઘુશંકા કરવા માટે ઉઠ્યા પછી દરિયામાં પડી ગયા હતા. તેઓનું પણ ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું રાકેશ ખાપાભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh