Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધવપુર-ઘેડ રૂકમણી વિવાહ સંદર્ભમાં
દ્વારકા તા. ૩૧: માધવપુર ઘેડ રૂકમણી વિવાહ સંદર્ભમાં દ્વારકામાં આજે સાંજે હાથી ગેઈટ પાસે શ્રીકૃષ્ણ-રૂકમણીજીના રથનું આગમન થશે.
આ રથ દ્વારકાના રાજમાર્ગો પર પરિભ્રમણ કરશે. રથયાત્રા રૂકમણી માતાજીના મંદિરે સંપન્ન થશે. માર્ગમાં ઠેર-ઠેર દ્વારકાના વિવિધ જ્ઞાતિ/સમાજ મંડળો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત-સામૈયુ કરવામાં આવશે.
હાથી ગેઈટ પાસેના પાર્કિંગ ગ્રાઉન્ડમાં મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. રૂકમણીજીના રથના આગમનને લઈને સમગ્ર દ્વારકા શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial