Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાબડી દેવાના કૌભાંડની આશંકાથી એલસીબી દ્વારા તપાસઃ
ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયા નજીકના કંચનપુરમાં જીઆઈડીસી વિસ્તારમાં એક કારખાનામાંથી એલસીબીએ રૂ.૩૭ લાખ ઉપરાંતનો ભેળસેળીયો કોલસો કબજે કર્યાે છે. તેનો નમૂનો ફોરેન્સીકને મોકલવામાં આવ્યો છે અને ભેળસેળીયો કોલસો ધાબડી દેવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકાથી એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં કોલસામાં પથ્થર તથા અન્ય ભેળસેળ કરી ભેળસેળીયા કોલસા વેચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું. તે પછી ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી એક કારખાનામાં તેનું પગેરૂ નીકળ્યું હતું.
આ કારખાનામાં ભેળસેળ કરી બનાવવામાં આવેલા કોલસાનો જથ્થો રાખી વેચાણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલ તથા પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને સ્ટાફે એસપી જયરાજસિંહ વાળા તેમજ ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી હતી.
તપાસ દરમિયાન રૂ.૩૭ લાખ ૪પ હજારનો કોલસાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. તેને સીઝ કરી ફોરેન્સીક ટીમને વાકેફ કરવામાં આવી છે. કોલસાનું વહન કરતા ટ્રકના ચાલકો તથા માલિકો દ્વારા સ્થાનિક કારખાનેદાર સાથે સંકલન કરી કોલસામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ચાલતું હોવા બાબતે એલસીબીને પગેરૂ પ્રાપ્ત થયું છે. જેના પગલે તપાસ આગળ ધપી રહી છે અને તેમાં મોટું કૌભાંડ ઝડપાઈ જવાની શક્યતા જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial