Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬%

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા વધીને ૮૬ ટકા રહ્યું હતું.

જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરાની સાથે સાથે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી કોઈપણ જાતના વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

જામનગરમાં મેઘાવી માહોલના પગલે ત્રણ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬% રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી વાદળોના આવાગમન અને તેજીલા વાયરાઓના પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh