Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં પરશુરામ જ્યંતીની સાદાઈપૂર્વક ઉજવણી

                                                                                                                                                                                                         

ખંભાળીયા તા. ૧: પરશુરામ જ્યંતીની ઉજવણી ખંભાળીયામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાદગીથી કરવામાં આવી હતી. શોભાયાત્રા, રેલી અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ થયા હતાં. વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ ભાઈઓ-બહેનો, આગેવાનો દ્વારા હરહર મહાદેવના નારા સાથે પરશુરામજીની આરતી ઉતારાઈ હતી. બ્રહ્મ એકતાના સૂત્રોચ્ચાર થયા હતાં. અગ્રણીઓ પૂર્વ પ્રિન્સિપાલ, બરડાઈ સમાજના આગેવાન જે.કે. જોશી, બ્રહ્મસમાજ ખંભાળીયાના જીતુભાઈ મોતા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયા હતાં. અગ્રણીઓ ફાલ્ગુનીબેન વ્યાસ, રેખાબેન ખેતિયા, પૂર્વ બ્રહ્મસમાજ પ્રમુખ કાંતિભાઈ મોમૈયા, દિલીપભાઈ વ્યાસ, અજીતભાઈ કિરતસાતા, ચેતનભાઈ જોશી, મિલનભાઈ કિરતસાતા તથા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh