Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપી જેલમાં હોવાનો ખાર રખાયોઃ
જામનગર તા. ૩૦: લાલપુરના ભણગોર ગામમાં સોમવારે સવારે એક યુવાનને આંતરી લઈ એક શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દોઢેક વર્ષ પહેલાં ભણગોરમાં થયેલી એક હત્યાના મામલે ઉપરોક્ત બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
લાલ૫ુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતા પ્રતાપસિંહ ઉર્ફે પુષ્પરાજસિંહ લાલુભા જાડેજા નામના યુવાને ભણગોરના જ હકુભા ઉર્ફે કુંદનસિંહ રામભા જાડેજા સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓના કાકાના દીકરા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજાની દોઢેક વર્ષ પહેલાં ભણગોર ગામમાં હત્યા થઈ હતી. જેમાં આરોપી તરીકે રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુ તથા જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજાના નામ ખૂલ્યા હતા.
ત્યારપછી ધરપકડ પામેલા આરોપીમાંથી રાજદીપસિંહ જેલમાં છે. આ બાબતનો ખાર રાખી સોમવારે સવારે ભણગોર ગામના ચોરા પાસે કુંદનસિંહે રોકી લઈ ગાળો ભાંડ્યા પછી પ્રતાપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાલપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial