Advertisement
Author: નોબત સમાચાર

પત્ની રિસામણે ચાલી જતાં માઠું લાગી આવવાથી યુવાને ખાઈ લીધો ગળાફાંસો

મૃતકના પત્નીનંુ પોલીસે નોંધ્યું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના યોગેશ્વરધામમાં રહેતા એક યુવાનના પત્ની રિસામણે ચાલ્યા જતાં માઠું લાગી આવવાથી આ યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેઓના પત્નીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જામનગર નજીકના હાપા પાસે આવેલા યોગેશ્વરધામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ સગર નામના ૩૯ વર્ષના કારડીયા રાજપૂત યુવાનના પત્ની થોડા દિવસ પહેલાં કોઈ બાબતથી મનદુખ થતાં પોતાના પિયર રિસામણે ચાલ્યા ગયા હતા.

આ બાબતથી માઠું લાગી આવતા ગઈકાલે સાંજે ધર્મેન્દ્ર સિંહે પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા  જણાઈ આવ્યા હતા. તેમના પત્ની માયાબાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર બી.એચ. લાબરીયાએ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh