Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તથા કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકીંગ

શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ-ચકાસણી કરાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ દ્વારા ચુસ્ત ચેકીંગની સાથે માછીમારો સાથે સાથે સંવાદ યોજવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પણ એલસીબી, એસઓજી ટીમ સાથે જોડાઈને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ, ચકાસણી કરાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દરિયાકાંઠે કોસ્ટગાર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કાશ્મીર સ્થિત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાના ગામો તેમજ માછીમારોની મુલાકાત કરી સંવાદ યોજવામાં આવી રહ્યો છે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ નજરે પડે તો તરત જ ૧૫૫૪ નંબર પર જાણ કરવા અનુરોધ કરાઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ તમામ પોલીસ મથકોની ટીમમાં રહી એલસીબી તથા એસઓજી સાથે મળી અનેક સ્થળે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તેમજ ચકાસણી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh