Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ઉપક્રમે પાંચમી મે ના
જામનગર તા. ૩: શ્રી શારદાપીઠ દ્વારકા જગદ્ગુરુ શંકરાચાર્યજી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સંચાલિત તક્ષશિલા (દરેડ) માં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીના મંદિર સાથે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયજી અને આધ્ય શંકરાચાર્યજીના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ સનાતન ધર્મના વડા અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજશ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીના હસ્તે સંપન્ન થશે.
બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તક્ષશિલા સંકુલ દરેડમાં આયોજીત ભૂમિ પૂજનના કાર્યક્રમ સાથે બ્રહ્મ ચોર્યાસી અને મહાપ્રસાદનું પણ આયોજન થયું છે.
આ પરશુરામ ધામના ભૂમિ પૂજન પ્રસંગે સંતો-મહંતો સર્વેશ્રી મુક્તાનંદ બાપુ (આમરડા), પ.પૂ. ૧૦૦૮ અવદેશજી મહારાજ (મહંત કુંડલિયા હનુમાન), શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. મહામંડલેશ્વર કન્કેશ્વરી દેવીજી (ખોખરા આશ્રમ મોરબી), પ.પૂ. વિજયભાઈ જોષી (ગુરુજી), (ગજાનન આશ્રમ-માણસર), પ.પૂ. શ્રી કૃષ્મણિજી મહારાજ (ખીજડા મંદિર-નવતનપુરી ધામ), પ.પૂ. શ્રી સિતારામ બાપુ (ગોપીનાથ ગાદીપતિ-ભાવનગર), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ભગવાનદાસ બાપુ (બહુચરધામ-ભાવનગર), પ.પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજ (આણદાબાવા આશ્રમ-જામનગર) અને પ.પૂ. શ્રી વિશાલદાસ બાપુ (સદ્ગુરૂ આશ્રમ-ભાવનગર) ઉપસ્થિત રહેશે.
ઉપરાંત મુખ્ય મહેમાનોમાં વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), મૂળુભાઈ બેરા (મંત્રી), પૂનમબેન માડમ (સાંસદ), રામભાઈ મોકરિયા (રાજ્યસભા સાંસદ), ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, અમિતભાઈ ઠાકર, અનિકેતભાઈ ઠાકર, સેજલબેન પંડ્યા, હેમતભાઈ ખવા, ઉદયભાઈ કાનગડ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રહ્મ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અનિલભાઈ મહેતા, વિજયભાઈ બુજડ, વિજયભાઈ સાતા (પ્રમુખ ગુજ. ઓર્થો. એસો.), જિલ્લા પંચા. પ્રમુખ મયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર-જિલ્લાના અગ્રણીઓ, ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, સહિતના પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માટે આયોજક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બ્રહ્મચારી નારાયણ નંદજી (સચિવ, શારદાપીઠ), ગુણવંતભાઈ ભટ્ટ, બિપીનભાઈ પુંજાણી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, પી.સી. ખેતિયા અને રવિભાઈ ત્રિપાઠી સહિતનાઓ જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial