Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉદ્યોગનગરોમાં કામ કરતા શ્રમિકોની પણ કરાઈ ખરાઈઃ
જામનગર તા. ૩: જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં ઘરેણાના ઘડતર કામ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકની ખરાઈ માટે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી પછી ગઈકાલે ૬૫ જેટલા પશ્ચિમ બંગાળના શ્રમિકોની ખરાઈ કરવામાં આવી હતી.
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અને તેમના વતનમાં પરત મોકલી દેવા માટે શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત ગઈકાલે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી એ ડિવિઝન પોલીસે પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ જામનગરમાં ઘરેણા બનાવતા પરપ્રાંતીયોની ઘનિષ્ઠ ચકાસણી કરી હતી. પોલીસે દાગીનાના ઘડતર કામ સાથે સંકળાયેલા પશ્ચિમ બંગાળના કેટલાક વ્યક્તિ ઓની યાદી તૈયાર કર્યા પછી ગઈકાલે તે યાદી મુજબ ચકાસણી કરી હતી. તે ઉપરાંત દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ૩માં કેટલાક કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોની આધારકાર્ડ સહિતની ખરાઈ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial