Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત રાજ્યના નાયબ મામલતદારોની બદલીઓનો આદેશ જાહેર કરતી રાજ્ય સરકાર

જિલ્લા ફેરની બદલીની અરજીઓ આધારિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારની સંબંધિત કલેક્ટર મારફત થયેલી જિલ્લા ફેરબદલીની અરજી અન્વયે સરકારે બદલીના આદેશ કર્યા છે. જેમાં હાલારમાંથી પણ બદલીઓ થવા પામી છે, તેમજ નિમણૂકો થવા પામી છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દિપક શ્રીગોરને રાજકોટ, સોનલ નિનામાને અરવલ્લી, મહેન્દ્રસિંહ ચૌહાણને સુરેન્દ્રનગર, જયદિપકુમાર પ્રજાપતિને આણંદ, પાયલ કતારાને અરવલ્લી, મહેશ પરમારને રાજકોટ, રીટાબેન મહિડાને સુરેન્દ્રનગર, ચેતના નિનામાને સાબરકાંઠા, મીલન નિમાવતને રાજકોટ, ભાવનાબેન આહિરને પાટણ, નિલ્પા લાકોડને વડોદરા, કલ્પના ગામેતીને અરવલ્લી, મહેઝબીન સુમરાને જામનગર, દર્શન સાવધારિયાને સુરેન્દ્રનગર, મનસુખ વાળાને સોમનાથ, સંદિપ કુમાર ડામોરને દાહોદ, હરદિપસિંહ રાઠોડને સુરેન્દ્રનગર, વીણાબેન વરંડાને અરવલ્લી, ભાવના પાંડોરને વડોદરા તથા જામનગરથી માંકડા મુર્તુઝાભાઈને રાજકોટ મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh