Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે હોમગાર્ડઝ અધિકારીને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત થશે

રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: હોમગાર્ડઝ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા કુલ ૪૩ જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ચંદ્રક તા. ર૬ જાન્યુઆરીના એનાયત થશે, જેમાં જામનગરના બે હોમગાર્ડઝ અધિકારીનો પણ સમાવેશ થાય છે.

જામનગર હોમગાર્ડઝ વિભાગમાં સેવા આપતા સંદિપભાઈ લલીતભાઈ દાઉદિયા (પ્લાટુન સાર્જન્ટ) અને કૈલાસભાઈ બાબુભાઈ જેઠવા (કંપની કમાન્ડર) ની મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

આગામી તા. ર૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં આ બન્નેને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh