Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા

ચેક મુજબની રકમનો દંડ ફટકારાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં ચેક પરતના કેસમાં એક આસામીને એક વર્ષની સજા અને રૂ।. ૧ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ દીપક મનહરભાઈ અનુવાડીયાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ માટે ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ અપાઈ હતી. તેમ છતાં ચેક મુજબની રકમ પરત ન ચૂકવાતા તેની સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની સજા અને રૂ।. ૧,૮૩,૦૫૫નો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મંુજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh