Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓરડીનું તાળુ તોડી કોઈ તસ્કર મોટર ઉઠાવી ગયોઃ
જામનગર તા. ૨૪: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં બુધવારની રાત્રે કોઈ તસ્કરે મંદિરમાં આવેલી ઓરડીનું તાળુ તોડી અંદરથી રૂ।.દસેક હજારની કિંમતની સબ મર્શીબલ પંપની ચોરી કરી લીધી છે. પૂજારીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા કલ્યાણચોક નજીકની નદીના કાંઠે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં ગુરૂવારની રાત્રે કોઈ તસ્કર ઘૂસ્યો હતો. ત્યાં આવેલી ઓરડીનું તાળુ તોડી અંદરથી પાણીની ઈલેકટ્રીક સબ મર્શીબલ મોટર ઉઠાવી જવાઈ છે.
ઉપરોક્ત ચોરીની ગઈકાલે સવારે પૂજારી જીતુભાઈ ખત્રી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે તેઓને જાણ થઈ હતી. અંદાજે રૂ।.દસેક હજારની કિંમતનો સબ મર્શીબલ પંપ ચોરાઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્કરો ત્યાં પડેલો તાંબાનો લોટો પણ ઉઠાવતા ગયા છે. અગાઉ પણ પાંચેક વર્ષ પહેલાં આ સ્થળેથી સબ મર્શીબલ પંપ ચોરાયો હતો. તે પછી વધુ એક વખત ચોરી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial