Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના રીનારી ગામમાં પાણી ભરેલા કુંડીયામાં ઉથલી પડતાં બાળકનું મૃત્યુ

પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર વજ્રઘાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩ : કાલાવડ તાલુકાના રીનારી ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજયના શ્રમિકના છ વર્ષના પુત્રનું અકસ્માતે પાણી ભરેલા કુંડીયામાં ઉથલી પડવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બાળક તરસ લાગતા ત્યાં પાણી પીવા પહોંચ્યો હતો અને મોતને શરણ થયો હતો.

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં શિવાભાઈ રાણપરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની વિજયસિંગ યાનસિંગ ગણાવા નામના શ્રમિકનો પુત્ર મેહુલ (ઉ.વ.૬) ગઈકાલે બપોરે જ્યારે વિજયસિંગ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં રમતો હતો.

આ બાળક રમતા રમતા તરસ લાગતા નજીકમાં આવેલા પાણી ભરેલા કુંડીયા પાસે પહોંેંચી તેમાંથી પાણી પીવા જતાં કુંડીયામાં ઉથલી પડ્યો હતો. તેની જાણ થતાં મેહુલને બહાર કાઢી સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. દોડી આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસે વિજયસિંગનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh