Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ધ્રોલ, લાલપુર, કાલાવડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા કામગીરી

માર્ગ સુધારણા થકી સુવિધાયુકત રસ્તાઓ મળશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માર્ગોની ગુણવત્તા સુધારી પ્રવાસને વધુ સુગમ બનાવવાના હેતુસર જામનગર જિલ્લામાં માર્ગ સુધારણા અને સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી પ્રગતિમાં છે.

જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અપાયેલ વિગતો અનુસાર હાલ ધૂતારપર અને ધુડસિયા નજીકના વિસ્તારોમાં માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે સ્થાનિક નાગરિકો માટે અવરજવરને સરળ બનાવશે.સાથે જ લાલપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ રોડ રિપેરિંગનું કામ ચાલી રહૃાું છે. સપડા અને બેરાજા નજીકના રસ્તાઓનું સમારકામ પણ પ્રગતિમાં છે, જે આ ગામોને જોડતા માર્ગોની સ્થિતિ સુધારશે.તથા કાલાવડ તાલુકામાં નિકાવા અને લોધિકા આસપાસના વિસ્તારોમાં પણ માર્ગ સમારકામની કામગીરી ચાલી રહી છે.ધ્રોલ શહેરમાં વિવિધ સ્થળોએ ડામર પેચ વર્કનું કામ ચાલી રહૃાું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ઇટાળા, રાજપર અને સુમરા ગામોમાં પણ રોડ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં આ ગામોના સ્થાનિક રહેવાસીઓને સુવિધાયુક્ત રસ્તાઓ મળશે. આ માર્ગ સુધારણા થકી જામનગર જિલ્લાના નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે. આ સાથે જ કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંબંધિત વિભાગો દ્વારા આ કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh