Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૮/પ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર મુજબ સ્વામિનારાયણ મંદિર, ખાદીભંડાર સામે, બેડીગેઈટ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજનમાં સ્વ. મનહરલાલ નૌતમદાસ ગાંધી (હઃ અલ્પેશ ગાંધી પરિવાર) નો સહયોગ પ્રાપ્ત થયો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial