Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકને અજાણ્યું વાહન ઠોકર મારી પલાયનઃ
જામનગર તા. ૧: ખંભાળિયાના વિંઝલપર ગામથી કેશોદ ગામ વચ્ચે મંગળવારે રાત્રે રાવલ ગામના બાઈકચાલકને એક અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું છે. ગંભીર ઈજા પામેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સાતરસ્તા પાસે મોટર સાથે ખાનગી બસ ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા રામાભાઈ સામતભાઈ પરમાર નામના યુવાન મંગળવારે રાત્રે નવેક વાગ્યે ખંભાળિયા નજીકના વિંઝલપર ગામથી કેશોદ ગામ વચ્ચે બાઈક પર જતા હતા.
આ વેળાએ એક અજાણ્યું વાહન ધસી આવ્યું હતું. તેના ચાલકે રામાભાઈના જીજે-રપ એન ૪૮૪૧ નંબરના બાઈકને ઠોકર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા રામાભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રાણાભાઈ સામતભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા સન્ની હરેશભાઈ દાવડા ગઈકાલે સાંજે સાતરસ્તા નજીકથી જીજે-૧૦-ડીજે ૫૫૮૯ નંબરની સેલ્ટોસ મોટર લઈને જતા હતા ત્યારે જીજે-૩-બીટી ૧૪૯૮ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા મોટરમાં રૂ.૭૦ હજારનું નુકસાન થયું છે. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial