Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

વૃદ્ધ મહિલાના પરિવારની સંપૂર્ણ વિગતો મેળવી

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૮: જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લીધેલ વૃદ્ધ મહિલાનું સેન્ટર પરના કર્મચારી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધાએ પોતાના પરિવાર વિશે તેમજ સરનામુ જણાવ્યું હતું. તેના આધારે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે તે ગામના સરપંચ સાથે સંપર્ક કર્યો હતો. અને આશ્રય લીધેલ વૃદ્ધ મહિલાના પરિવારની સંપૂર્ણ વિગતો મળતા ચકાસણી કરી, વૃદ્ધાનું તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવ્યુ હતું.

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા પીડિત મહિલાને આશ્રય, કાઉન્સેલિંગ તેમજ તબીબી સહાય આપી તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ જામનગર સખી વન સ્ટોપ સેન્ટર તથા મદદરૂપ થયેલ ખંભાળિયા ૧૮૧ ની ટીમ, પીબીએસસીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh