Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા શરૂ

ઓનલાઈન ટેન્ડર ૨૨/૭ ના અને ઓફલાઈન ૨૪/૭ના ખોલવામાં આવશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫ દિવસ માટે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળા માટેના ટેન્ડરની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ ૪૩ પ્લોટના ટેન્ડર ઈસ્યુ કરીને રૂપિયા પાંચ લાખ થી વધુના ટેન્ડર ઓનલાઈન મુકવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઓફલાઈન ટેન્ડર આપવાના શરૂ કરાયા છે. જેમાં ઓનલાઈન ટેન્ડર ૨૨મી તારીખે જ્યારે ઓફલાઈન ટેન્ડર ૨૪મી તારીખે ખોલવામાં આવશે.

જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનમાં પખવાડીયા સુધી યોજાનારા લોકમેળા માટે કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, રૂ. પાંચ લાખ થી વધુ કિંમતના ૮ પ્લોટ હોવાથી તેને ઓનલાઈન ટેન્ડર મુકવામાં આવ્યા છે, જ્યારે તા. ૨૪ ના ઓફલાઈન ટેન્ડર ખુલશે, કુલ ૪૩ પ્લોટમાં સમગ્ર શ્રાવણી લોકમેળાનું આયોજન કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh