Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડ પરના શ્રાવણી મેળા સામે મનાઈ હુકમની માગણીનો દાવો રદ્ કરતી અદાલત

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના શ્રાવણી મેળાના આયોજન સામે કાનૂની જંગ ખેલાયો હતો, જેમાં આજે કોર્ટ દ્વારા ચૂકાદો આપતા મેળાના આયોજનનો માર્ગ મોકળો થયો છે, અને સામા પક્ષની અરજી કોર્ટે રદ કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ મેળો યોજવામાં આવ્યો છે, પરંતુ હાલ પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો કાર્યરત કરવામાં આવ્યો હોવાથી મેળાના કારણે મુસાફરોને મુશ્કેલી થશે તેવી એક આસામી દ્વારા મેળાના આયોજન સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. એક તબક્કે અરજદારને અદાલતે ૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો. તેની સામે સેસન્સ કોર્ટમાં અપિલ કરવામાં આવતા દંડનો હુકમ રદ્ કરી નિચલી અદાલતમાં વધુ સુનાવણી કરવા નિર્ણય લેવાયો હતો, જ્યાં ગત્ શુક્રવારે અરજદાર અને મહાનગરપાલિકાના વકીલો વચ્ચે સામસામી દલીલો કરવામાં આવી હતી અને ચૂકાદો સોમવારે સંભાળવાનો નિર્ણય લેવાયો હતો.

આ પછી આજે સવારે કોર્ટમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો જેમાં મનાઈહુકમની આસામીની માગણી રદ્ કરતો આદેશ કરવામાં આવતા મેળા આડેના અંતરાયો દૂર થયા છે અને મેળાના આયોજનની અડચણ દૂર થવા પામી છે.

જો કે મેળો તા. ૧૦ અને રવિવારે શરૂ થનાર હતો, પરંતુ ચૂકાદો આજે તા. ૧૧ ના આવ્યો છે. હવે લાયસન્સ ઈસ્યુ થયા પછી મેળો શરૂ થશે. એટલે કે હવે તમામ રાઈડધારકો લાયસન્સ પ્રક્રિયામાં જોડાયા છે. જામનગર મહાનગરપાલિકા તરફે વકીલ વિરલ રાચ્છએ દલીલો કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh