Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનનું આયોજન

સંકલ્પ માટે સાધકોને હાજર રહેવા આહ્વાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં શરૂસેક્શન રોડ પર માસ્તર સોસાયટીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠમાં તા. ૧૯/૬ થી ર૬/૩ દરમિયાન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છુક સાધકોએ તા. ૧૮/૬ ને બુધવારે સાંજે પ થી ૬ દરમિયાન સંકલ્પવિધિ માટે ગાયત્રી શક્તિપીઠમાં ઉપસ્થિત રહેવું પડશે.

નવ દિવસીય અનુષ્ઠાનમાં સાધકોએ શક્તિપીઠમાં અથવા પોતાના ઘરે મંત્રજાપ-માળા સવારના ૪ થી આરંભ કરી દિવસ દરમિયાન સંપન્ન કરવાના રહેશે. તા. ર૬/૩ ને ગુરુવારે રામનવમીના સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન અનુષ્ઠાન પૂર્ણાહુતિનો નવકુંડી સામૂહિક ગાયત્રી હવન યોજાશે તથા બપોરે ૧ર કલાકે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh