Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુરુ-બ્રાહ્મણ વિશે વાણી વિલાસ કરનાર અમરેલીના વસંત ચાવડા સામે રજૂઆત

એસ.પી.એ સાયબર ક્રાઈમ દ્વારા તપાસની ખાતરી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: અમરેલીના વસંત ચાવડાએ ગુરુ-બ્રાહ્મણ સમાજ વિશે એલફેલ ઉચ્ચારણો કર્યા હતાં. આથી ગઈકાલે ગુરુ-બ્રાહ્મણ સમાજ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી હતી.

અમરેલીના વસંત ચાવડાએ સોશિયલ મીડિયામાં ગુરુ-બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કર્યા હતાં. તેની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

આ શખ્સના વાણીવિલાસના કારણે ગુરુ બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે. આથી ગુરુ બ્રાહ્મણ સમાજે ગઈકાલે જામનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને વસંત ચાવડા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા રજૂઆત-માગણી કરી હતી.

આ રજૂઆત સાંભળ્યા પછી એસ.પી.એ હકારાત્મક અભિગમ અપનાવી આ કેસ સાયબર ક્રાઈમને સોંપી તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ રજૂઆત સમયે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા ઘટકના પ્રમુખ શાંતિલાલ સોમેશ્વર, મહામંત્રી દિવ્યેશભાઈ શેખા, તથા અન્ય હોદ્દેદારો, યુવાનો વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh