Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.પી.એ સાયબર ક્રાઈમ દ્વારા તપાસની ખાતરી આપીઃ
જામનગર તા. ૧૨: અમરેલીના વસંત ચાવડાએ ગુરુ-બ્રાહ્મણ સમાજ વિશે એલફેલ ઉચ્ચારણો કર્યા હતાં. આથી ગઈકાલે ગુરુ-બ્રાહ્મણ સમાજ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી હતી.
અમરેલીના વસંત ચાવડાએ સોશિયલ મીડિયામાં ગુરુ-બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કર્યા હતાં. તેની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
આ શખ્સના વાણીવિલાસના કારણે ગુરુ બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે. આથી ગુરુ બ્રાહ્મણ સમાજે ગઈકાલે જામનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને વસંત ચાવડા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા રજૂઆત-માગણી કરી હતી.
આ રજૂઆત સાંભળ્યા પછી એસ.પી.એ હકારાત્મક અભિગમ અપનાવી આ કેસ સાયબર ક્રાઈમને સોંપી તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ રજૂઆત સમયે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા ઘટકના પ્રમુખ શાંતિલાલ સોમેશ્વર, મહામંત્રી દિવ્યેશભાઈ શેખા, તથા અન્ય હોદ્દેદારો, યુવાનો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial