Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા
ખંભાળિયા તા. ર૩: ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રિકલચરના ભાગરૂપે એગ્રિસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. અગ્રિસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી વર્ષ ર૦ર૪-રપ થી અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવેલ છે. ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ફ ઉદ્દે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી રર મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે. આથી રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના વીસીઈ/વીએલઈ (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફત કરાવી શકાય છે. ઉપરાંત ખેડૂતો માફરત સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે.
ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિંક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી જરૂરી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવાભૂમિ દ્વારકાી યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial