Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતા, બહેનો સામે કરાયો છે દાવોઃ
જામનગર તા. ૧૮: જામનગરના નાઘેડી ગામમાં આવેલી કરોડોની કિંમતની ખેતીની જમીન અંગે ડેકલેરેશન અને કાયમી મનાઈહુકમ માટે કરાયેલા દાવામાં વાદીએ વચગાળાનો મનાઈ હુકમ માંગ્યો હતો. અદાલતે તે માગણી નકારી છે.
જામનગર નજીકના નાઘેડી ગામમાં આવેલી રે.સ.નં.૧૫૨ તથા ૧૫૪વાળી જમીન અંગે વિજયભાઈ ઓઘડભાઈ નામના આસામીએ પોતાના પિતા ઓઘડભાઈ કેશવાલા, માતા જાયણીબેન તથા બહેન મંજુલા અને લીલુબેન સામે જામનગરની સિવિલ કોર્ટમાં દાવો કર્યાે હતો.
આ જમીનનો કબજો પ્રતિવાદીઓ છીનવી ન લે અને જમીનનો ઉપયોગ કરતા ન અટકાવે કે બોજો ઉત્પન્ન ન કરાવે તે માટે વચગાળાનો મનાઈહુકમ પણ માંગવામાં આવ્યો હતો.
ઉપરક્ત દાવા અન્વયે ઓઘડભાઈ વગેરેએ જવાબ રજૂ કર્યાે હતો. આ જમીનનું વિભાજન થયું નથી અને દીકરા-દીકરીનો સરખો હિસ્સો થાય તેમ છતાં વિજય કેશવાલાએ આ મિલકતના એકલા માલિક હોય તે રીતે દાવો કર્યાે છે. તેવી દલીલ કરાતા અદાલતે વિજય ઓઘડભાઈની વચગાળાના મનાઈહુકમની માગણી નામંજૂર કરી છે. પ્રતિવાદી ઓઘડભાઈ તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial