Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓશવાળ અને રાહત સંઘ સામે થયેલી અરજી કરી નામંજુર

રાજકોટની ચેરિટી કમિશનરની કચેરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ અને પક્ષકાર તરીકે જોડાયેલા અરજદાર સામે ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. અરજીના નં. ૪૧/ ૧૪-ર૦ર૩ ના મંજુર કરવામાં આવી છે.

રાજકોટના મનિષભાઈ રમેશાઈ શાહ અને થાણેના મુકેશભાઈ લખમશીભાઈ સાવલાએ રાજકોટ સ્થિત સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં સામાવાળા ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ અને સુભાષભાઈ કેશવજીભાઈ ગડા (શાહ) સામે (પક્ષકાર) અરજી કરી દાદ માગી છે. જેમાં એવો ઠરાવ રજૂ થયો છે કે, અરજદાર ટ્રસ્ટના સામાન્ય સભાના ચૂંટાયેલા કારોબારી સભ્ય છે, અને હાલ સંસ્થાનો તમામ વહીવટ સંભાળે છે.

ટ્રસ્ટના બંધારણની જોગવાઈ મુજબ ટ્રસ્ટના વહીવટ માટે કારોબારી સમિતિ અને ટ્રસ્ટી મંડળ એમ બે પ્રકારે વહીવટની જોગવાઈ છે અને સામાન્ય સભાનું પ્રમુખ પદ પણ સંઘની કારોબારીના ચૂંટાયેલા પ્રમુખ સંભાળે છે. સંસ્થાની મિલકત અને ભવિષ્યમાં થનારી મિલકત માટે માત્ર ટ્રસ્ટીઓને સત્તા આપવામાં આવી છે.

અરજદારની એવી રજૂઆત છે કે, વર્ષ ર૦૧૪ માં ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહી સભ્યના ફેરફાર અન્વયે ડેપ્યુટી કમિશનરે તા. ૧૭-૭-ર૦૧૪ થી મંજુરી આપી હતી. તેની સામે એક સભ્ય દ્વારા સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જે અંગે કોમન હુકમ થયો હતો, જેમાં જણાવાયું હતું કે, ટ્રસ્ટ-ટ્રસ્ટીઓ હવે પછી કારોબારી સમિતિ અંગેના ફેરફાર રિપોર્ટ રજૂ કરવાના રહેશે નહીં, પરંતુ ટ્રસ્ટનો તમામ વહીવટી-સંચાલન કાર્યવાહક સમિતિ કરી રહી છે. વખતોવખત સમિતિની નિમણૂક થયેલ છે.

ટ્રસ્ટ બંધારણની કલમ મુજબ પ્રતિનિધિ ચૂંટે છે અને તેઓનું સામાન્ય સભામાં દર બે વર્ષ પ્રમુખ-કારોબારી સમિતિ ચૂંટવામાં આવે છે. ટ્રસ્ટીઓ નિમવા માટે પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલ હોય ફરજિયાત નથી. એટલે કે કોઈપણ જ્ઞાતિજન ઉમેદવારી કરી શકે છે.

આમ કારોબારી પ્રતિનિધિ તરીકેના પ્રમુખ અને કારોબારી સમિતિનું સ્થાન હોવાથી કારોબારી સમિતિ વધારે મહત્ત્વ ધરાવે છે.

ટ્રસ્ટીઓની મુદ્ત ૬ વર્ષ માટેની છે, જ્યારે કાર્યવાહક સભ્યોની મુદ્ત બે વર્ષ માટેની છે. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટ મિલકતોનું રક્ષણ-દેખભાળ કરશે. એ સિવાય કોઈ જોગવાઈ નથી. ટ્રસ્ટના સંચાલન-વહીવટને લગત કામગીરી ટ્રસ્ટીઓને બંધનકર્તા નથી. આથી પીટીઆર પર કારોબારી સમિતિના નામ ચઢાવવા અરજી થયેલ છે. જેથી ભવિષ્યમાં કાર્યવાહક સમિતિને મુશ્કેલી પડે નહીં.

અરજદારે ટ્રસ્ટના બંધારણની જોગવાઈ મુજબ બે વર્ષની કારોબારી સમિતિને ટ્રસ્ટના પીટીઆર પરિ-૧ ઉપર નામ રેકોર્ડ ઉપર લાવવાની દાદ માગી છે. હાલની અપીલ રદ્ કરવાની રજૂઆત કરી છે.

આ તમામ મુદ્દાસભરની અરજી અન્વયે સંયુક્ત ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે કે, અરજી નં. ૪૧ ૧૪/ર૩ ના મંજુર કરવામાં આવે છે. અરજદારોને અંગત મૂડીમાંથી પ૦૦૦ રૂપિયા પીટીએ ફંડમાં જમા કરાવવા, અન્યથા રેવન્યુ રાહે કાર્યવાહી કરવા હુકમ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh