Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં યુવાનના ઘરમાં ઘૂસી ચાર શખ્સે છરી-પાઈપથી કર્યાે પ્રહાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ખંભાળિયાના રાવલપાડામાં એક યુવાનના મકાનમાં ઘૂસી ગયેલા ચાર શખ્સે પાઈપ તથા છરીથી હુમલો કરી માર માર્યાે હતો અને ફ્રેકચર કરી નાખ્યું હતું. પોલીસે ચારેય આરોપી ના સગડ દબાવ્યા છે.

ખંભાળિયા શહેરના રાવલ પાડામાં રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ઘરમાં ઘૂસી ગયેલા પરેશ પરબતભાઈ ચૌહાણ ઉર્ફે મુન્ના, સાગર પરેશભાઈ, જાંબુ પરેશભાઈ તથા યુગલો પરેશભાઈ ચૌહાણ નામના ચાર શખ્સે ઝઘડો કર્યાે હતો. આ શખ્સોએ ગાળો ભાંડ્યા પછી પરેશ તથા જાંબુએ પાઈપથી માર માર્યાે હતો. જ્યારે યુગલાએ છરીથી ઈજા પહોંચાડી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા અશોક ચૌહાણને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ખંભાળિયા પોલીસે ચારેય  સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh