Advertisement
Author: નોબત સમાચાર

પીએસઆઈ, રાઈટર વતી લાંચ સ્વીકારતા ઝડપાયેલા પોલીસકર્મીની જામીન અરજી રદ્દ

ચાર્જશીટ રજૂ થયા પછી કરી હતી જામીન અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીએ છટકુ ગોઠવી એસઓજી પોલીસકર્મીને પીએસઆઈ અને રાઈટર વતી લાંચ લેતો પકડી પાડ્યો હતો. આ આરોપીએ ચાર્જશીટ રજૂ થયા પછી જામીન અરજી રજૂ કરતા અદાલતે તે અરજી નકારી કાઢી છે.

જામનગરના એક આસામી સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીટીંગ અંગેની એક અરજી કરવામાં આવી હતી. તેની તપાસ ઉદ્યોગનગર પોલીસચોકી પાસે હતી. તે પછી આવી કોઈ અરજી આવે તો જાણ કરવા અને હાલમાં હેરાન ન કરવા માટે લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ એસીબીમાં કરાઈ હતી.

ગોઠવાયેલા છટકામાં પીએસઆઈ તથા રાઈટર વતી લાંચ લેતા રવિ ગોવિંદભાઈ શર્મા નામના એસઓજી પોલીસ કર્મચારીને પકડી લેવામાં આવ્યો હતો. એસીબીએ રવિ શર્મા ઉપરાંત પીએસઆઈ આર.ડી. ગોહિલ અને રાઈટર ધર્મેશ બટુકભાઈ મોરીની ધરપકડ કરી હતી.

આ ગુન્હામાં ચાર્જશીટ થયા પછી આરોપી પૈકીના રવિ ગોવિંદભાઈ શર્માએ જામીનમુકત થવા અદાલતમાં અરજી કરતા એડી. પીપી હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh