Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભક્તિના માહોલમાં
લાલપુર તા. ૨૧: સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય તિંરગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિના રંગમાં રંગાઈને તિરંગો લહેરાવ્યો હતો. આ યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રા વીર સાવરકર હાઈસ્કૂલથી પ્રસ્થાન કરીને તાલુકા પંચાયત, સરદાર ચોક, ચાર થાંભલા અને ઉગમણો જાપો જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી. માર્ગમાં મદ્રેસા દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા રામમંદિર અને મેઈન બજાર થઈને ડો.દવે કાકા રોડ પરથી પસાર થઈ હતી. અને ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તેનું સમાપન થયું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, જિલ્લા પંચાયત સભ્ય વિનુભાઈ વાડોદરીયા અને ખીમજીભાઈ ધોળકીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, અરશીભાઈ કરંગીયા અને દિગ્વિજયસિંહ જાડેજા, હીરજીભાઈ ચાવડા, ભવાનભાઈ ચૌહાણ, રમેશભાઈ ગાગીયા અને સરપંચ જયેશભાઈ તેરૈયા સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial