Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતને માવઠાના માર પછી આગે દઝાડ્યાઃ
જામનગર તા. ૧૭: કલ્યાણપુરમાં એક ખેડૂતના ખેતરમાં પચ્ચીસ વીઘામાં ઉગાડવામાં આવેલી મગફળી લણી લીધા પછી ખેતરમાં પાથરામાં રાખવામાં આવી હતી. તે જથ્થામાં ગઈકાલે રાત્રે કોઈ રીતે આગ ભભૂકતા આ ખેડૂતને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એક ખેડૂતના ખેતરમાં પડેલા મગફળીના ઢગલામાં ગઈકાલે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા પછી દૂરથી આગના લબકારા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં આ ખેડૂત તથા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. તેઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન આગ પ્રસરી ચૂકી હતી. આ ખેડૂતની પચ્ચીસ વીઘા જમીનમાં ઉગાડવામાં આવેલી મગફળી તાજેતરમાં જ લણવામાં આવી હતી અને તેનો તૈયાર પાક પાથરાના સ્વરૂપે ખેતરમાં રાખી મુકવામાં આવ્યો હતો અને તેમાં કોઈ રીતે આગ ભભૂકતા આ ખેડૂતને ભારે નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial