Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં આવતીકાલે ઉજવાશે જલારામ જયંતીઃ મહાઆરતી, શોભાયાત્રા, સમૂહભોજન યોજાશે

નગર શણગારાયું: હરખની હેલીઃ વિવિધ કાર્યક્રમો

                                                                                                                                                                                                      

રાવલ તા. ર૮: આવતીકાલે રાવલમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થવાની છે. આજથી જ આ ઉજવણી માટે જલારામ ભક્તો થનગની રહ્યા છે. આવતીકાલે દરબારગઢથી જલારામ બાપાના મંદિરે તથા લોહાણા મહાજન વાડીમાં આ ઉજવણી થનાર હોઈ, ધજા-પતાકાથી નગરનું સુશોભન કરાયું છે. લોહાણા સમાજની વાડીથી આવતીકાલે જલારામ જયંતીના દિને ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે દરબારગઢથી રામમંદિર અને જલારામ મંદિરને સાંકળીને નગરભ્રમણ કરશે. પૂ. જલાબાપાની ઉજવણી માટે રાવલમાં હરખની હેલી ઊઠી હોય તેવી રીતે વિવિધ કાર્યક્રમો માટે તડામાર તૈયારી કરાઈ છે. જલારામ મંદિરે મહાઆરતી, શોભાયાત્રા તથા રઘુવંશી જ્ઞાતિનું સાંજે સમૂહભોજન સહિતના કાર્યક્રમો આવતીકાલે યોજાશે અને શોભાયાત્રા દરમિયાન પણ બુંદીનો પ્રસાદ વહેંચાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh