Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ગઈકાલે આશાપુરા માતાજીના શક્તિસ્થાનનું ડિમોલીશન કરાતા આક્રોશ

પહેલા નોરતે જ બુલડોઝર ફરતા માઈભક્તો નારાજઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૩: દ્વારકામાં નવરાત્રિના પ્રથમ નોરતે શક્તિસ્થાનનું ડિમોલીશન કરાતા માઈભક્તોમાં રોષની લાગણી ફેલાવા પામી છે, અને ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓના દબાણો પર કાર્યવાહી ક્યારે થશે તેવા સવાલો ઊઠી રહ્યા છે.

શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે અને સતત નવ દિવસ માઈભક્તો દ્વારા માતાજીની પૂજા-આરાધના સાથે ગુણગાન ગવાશે, ત્યારે ભક્તોની આશા પૂરી કરતા આશાપુરા માતાજીના શક્તિસ્થાનનું દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશન કરાતા માઈભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે.

નોંધનીય બાબત એ છે કે સરકારી ખરાબા અને ગૌચરની જગ્યામાં અસંખ્ય ભૂમાફિયાઓના દબાણો વિસ્તર્યા છે, ત્યારે તંત્ર માત્ર ને માત્ર ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી સરકારી જગ્યા ખૂલ્લી કર્યાનો સંતોષ માને છે.

આજે પણ માતાજીના મંદિર સહિત ચાર હિન્દુ ધાર્મિક સ્થળોએ તંત્રનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે, ત્યારે તંત્ર દ્વારા ભૂમાફિયાઓ વિરૂદ્ધ એક્શન મોડમાં આવતા કોની શરમ નડે છે તેવા પ્રશ્નો પણ લોકમૂખે ચર્ચાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh