Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મુખ્ય સ્વામિનારાયણ મંદિરે નેત્ર-દંત, સર્વરોગ સારવાર કેમ્પ

તા. રર જાન્યુઆરીએ વિનામૂલ્યે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર અંગે નિઃશુલ્ક કેમ્પ તા. રર ના ગુરૂવારે સવારે ૯ થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદીભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે.

કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ શ્રી પ્રકાશ કાકલોતર તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા તબીબી સેવા આપશે. આ કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમના સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ-જામનગરનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh