Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા સ્ટોપેજ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ:

પ્લેટફોર્મ તથા ફૂટ ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩: રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુનઃ શરૂ: કરવામાં આવ્યા છે.

એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજનું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ: કરી દેવામાં આવ્યા છેઃ

પુનઃ શરૂ: કરાયેલા સ્ટોપેજની વિગતોમાં (૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર ઓખા એક્સપ્રેસઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: (૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા ભાવનગર એક્સપ્રેસઃ ૦૧-૦૩-૨૦૨૬ થી શરૂ: (૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા રાજકોટ લોકલઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: (૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ ઓખા લોકલઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh