Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોંધણી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશેઃ
જામનગર તા. રરઃ નાગરિકો માટે જન્મ અને મરણની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી, ગુજરાત સરકારના નિર્દેશ મુજબ જામનગર જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ઈ-ઓળખ એપ્લિકેશનના સ્થાને ભારત સરકારના સિવીલ રજીસ્ટ્રેશન સીસ્ટમ (સીઆરએસ) પોર્ટલનો અમલ કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ સેશનનું આયોજન નાયબ મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) હિતેન એસ. પારેખ અને જિલ્લા રજિસ્ટ્રાર (જન્મ-મરણ) ડો. નૂપુર મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એમ.વી. સોલંકી, અધિક્ષક (જન્મ-મરણ), અને આંકડા મદદનીશ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારૂરૂપે કરવામાં આવ્યું હતું. તાલીમમાં જામનગર જિલ્લાના તમામ તાલુકા રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, ઈન્સ્પેક્ટર, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો તેમજ અર્બન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. પ્રોગ્રામ આસિસ્ટન્ટ કે.ડી. વૈષ્ણવ દ્વારા આ પોર્ટલ પર જન્મ-મરણ અને મૃત જન્મની નોંધણી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમથી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગ માટે સજ્જ બન્યા છે, જેનાથી જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial