Advertisement
Author: નોબત સમાચાર

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં ફી વધારા સામે વાલીઓમાં રોષઃ રજૂઆત

જામનગરના લીમડા લાઈન સ્થિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નામની અંગ્રેજી માધ્યમની શાળામાં ફી માં ૭૫૦૦ જેટલો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે જેથી વાલીઓ-વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે કેટલાક વાલીઓ શાળા પાસે એકત્ર થયા હતા અને સંચાલકો સમક્ષ આ ફી વધારાનો વિરોધ કર્યો હતો. વર્તમાન કાળઝાળ મોંઘવારીમાં આ ફી વધારો અશક્ય છે. અને ફી વધારો થયો પરંતુ શાળામાં શિક્ષણ કે સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી, આથી સત્વરે આ ફી વધારો પાછો ખેંચવો જોઈએ. જો આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh