Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં
જામનગર તા. ૧૨: જામનગર સ્થિત આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં તાજેતરમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચના પ્રમુખ ઉમરભાઈ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજિત આ શિબિરમાં દિવ્યાંગો માટે ઉપયોગી કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી, તેમજ દિવ્યાંગોની સમસ્યા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ તકે મુખ્ય મહેમાન તરીકે હારૂનભાઈ આંબલિયા (અલુભાઈ પટેલ), જુનેદાભાઈ જુણેજા, અતિથિ વિશેષ તરીકે અબ્દુલ રહીમ બ્લોચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ શિબિરને સફળ બનાવવા પેરા સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ અમૃતિયાભાઈ, ઉપપ્રમુખ શિવદાસભાઈ ગુજરિયા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ-જામનગરના હોદ્દેદારો પ્રફુલ્લાબેન મંગે, કુલસમબેન શેખ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial